કાયમી પ્રસાદ તિથિ
રૂપિયા ૧૫૦૧/- ભરી માતાજીની મંગળા આરતી (સવારની) આરતીએ માતાજીને મહાપ્રસાદ ધરાવાય છે. તેનો લાભ લઇ શકાય છે.
સદાવ્રત તિથિ
રૂપિયા ૧૦૦૦/- ભરી સંસ્થામાં ચાલતી સદાવ્રત પ્રવૃત્તિમાં દર વર્ષે પોતાની તિથિએ અભ્યાગતોને ભોજન આપી શકાય છે.
અખંડ ધીનો દીવો
માતાજીની અખંડ જ્યોત માટે દાન આપી શકાય છે.
પ્રસાદ
માતાજીના દર્શને આવતા યાત્રીઓને પ્રસાદ મળી રહે તેવી વ્યવસ્થામાં ભેટ આપી લાભ લઇ શકાય છે.
પાવડીપૂજા
રૂપિયા ૫૧/- ભરી માતાજીની પાવડી પૂજા પૂજારી કરી આપે છે. જેનો માતાજીના આશીર્વાદરૂપે લાભ લઇ શકાય છે.
કંકુપડો
આ સમાજમાં આપણે ત્યાં કોઇપણ શુભ પ્રસંગે મા ઉમિયાને પ્રથમ કંકોત્રી અને ભેટ મોકલાય છે. તેની સામે આશીર્વાદ રૂપે કંકુપડો મોકલી આપવામાં આવે છે. |